નાગપંચમીની વાર્તા એવી છે, જેને સાંભળ્યા વગર કોઈને ચેન નથી. એવા સમયની વાત છે જ્યારે હજી સૃષ્ટિનું નિર્માણ થઈ રહ્યું હતું. જેરુસલેમથી (Jerusalem) સંસ્કૃતિ આખા જગમાં વિસ્તરી રહી હતી. ત્યારે સાત પ્રકારની જાતી આ સંસારમાં રહેતી હતી. દેવ, ગાંધર્વ, કિન્નર, યક્ષ, રાક્ષસ, નાગ અને માનવ. હર એક જાતીની એકએક વિશેષતા હતી. દેવો પાસે એ શક્તિ હતી કે તે જગની સંભાળ રાખી શકે. They were also termed as extra-terrestrial beings. Gandharvas and Kinnars also had special energies. Their energy was used to bless someone. They were known as maintainers. Yaksh had energy and would never stay at one place. They were the messengers. Gandharvas and Kinnar were also known as protectors. ગામડામાં પાલ એ રક્ષક છે. તે બધા ગાંધર્વ છે. કુબેરને પણ ગાંધર્વ ગણવામાં આવ્યા છે. ગાંધર્વને મોટું પેટ હોય અને તે આ જગનું રક્ષણ કરે. રાક્ષસ જાતી પાસે પણ એટલી જ ઉર્જા હતી જેટલી કે દેવો પાસે પણ વિરુદ્ધ રીતે, વિનાશક રીતે વાપરવા માટે. જ્યાં સુધી એ ઉર્જા was used to destroy the bad things and negativity, it was put to good use. But that energy when used to put to bad use, used to be evil. આ રીતે દેવોનુ કાર્ય હતું કે તે નિર્માણ કરે, રાક્ષસનું કાર્ય હતુ કે તે ખરાબ વસ્તુને કાપે. નાગજાતી પહેલા મનુષ્ય સ્વરૂપમાં હતી. તેઓ ધરતીની નીચે રહેતા હતાં. તેમનું કાર્ય હતું કે ધરતીને પોષણ કરવાનું. Like earthworms, તેઓ ધરતીને ઉપર નીચે કરીને એને ફળદ્રુપ કરતા અને ધરતીને પોષક બનાવતા. માનવ જાતી ધરતી પર રહીને કર્મ કરીને સૃષ્ટિને ચલાવતી હતી.
હવે જ્યારે જેરુસલેમથી સંસ્કૃતિ વિસ્તૃત થઇ ત્યારે તેઓ કશ્મીર તરફ આવ્યા. ત્યારે કશ્મીર હજી પાણીમાં હતું. સતીસાર તળાવમાં ડૂબેલું હતું. ત્યારે કશ્યપ ઋષિએ સતીસારને ખાલી કર્યું અને પૃથ્વી ત્યાં બાહર આવી. ત્યારે ધરતી હજી ખારી હતી, કારણ કે પાણીમાં રહેલી હતી. નાગોને એ કાર્ય સોંપવામાં આવ્યું કે ધરતીનું તે પોષણ કરે. નાગજાતી એ ત્યારે ધરતીને ખોદી અને ત્યાં પ્રકૃતિનું સંચાલન કર્યું, ત્યારે ધરતીમાંથી મીઠા જળના તળાવ બન્યા. હર એક તળાવને એક નાગનું નામ આપવામાં આવ્યું છે- નીલનાગ, વેરીનાગ, કોકરનાગ. એવા લાખો નાગ ત્યાં બન્યા. પ્રકૃતિનું સૌંદર્ય જોઈને ત્યાં બધી જાતીના લોકો રહેવા લાગ્યા- દેવ, ગાંધર્વ, કિન્નર, યક્ષને જ્યારે મનુષ્ય ત્યાં આવ્યા, ત્યારે એ બધાને ત્યાંથી ઓજલ થવું પડયું. નાગોને પણ ત્યાંથી નિકળવું પડયું. તેઓએ શ્રાપ આપ્યો કે આ ધરતી પર મનુષ્ય કોઈપણ દિવસ સુખી નહી થાય. એટલે કશ્મીરમાં કાયમ મનુષ્ય શાંતિથી રહી નથી શક્યો. નાગોને ધરતીની અંદર ખૂબ ઊંડાણમાં જવું પડયું. તેમણે લાખો (millions) ગુફાઓ કશ્મીરમાં બનાવી. એટલી બધી ગુફાઓ કશ્મીરમાં છે કે કોઈને એ ગુફાઓની ખબર જ નથી. નાગજાતી પહેલા નાગ જેવી નહોતી લાગતી. પછી જ્યારે ધરતીની અંદર રહેવા લાગ્યાં ત્યારે પગના બદલે સરકવા માટે એમના પગની જગ્યાએ પૂંછડી બની, પછી તેઓ સાપ જેવા દેખાવા લાગ્યા.
સમુદ્રમંથન જ્યારે થયું, ત્યારે નાગોએ આવીને વિષ પીધું. ત્યારે એમને વિષ પ્રાપ્ત થયુ. અને હવે કોઈ નાગ કાટે છે ત્યારે એના શરીરમાં વિષ ફેલાવે છે. શિવે મોટા ભાગના સાપ એમના શરીર પર લીધા અને પોતે નીલકંઠ થઈ કશ્મીરમાં વસ્યા. અમુક સાપો સારા કાર્ય પણ કરે છે જેમ કે શેષનાગ, વાસુકિ. વિષ્ણુ જે શેષનાગની શૈયા પર સૂવે છે તેને પાંચ મુખ છે, વાસુકીને પણ પાંચ મુખ છે. જે નાગ પાસે ખાસ શક્તિ છે, તેને પાંચ મુખ હોય છે. એનો મતલબ એ કે જે નાગને પંચેંદ્રિયો પર કાબૂ, પંચતત્વ પર કાબૂ છે, તે પાંચ મુખવાળા નાગ છે. સમુદ્રમંથનમાં જ્યારે વાસુકી પોતાનું શરીર આપવા તૈયાર થયા અને બીજા નાગોએ જ્યારે વિષ પીધું, ત્યારે શિવે પ્રસન્ન થઈ કીહ્યું કે નાગની પૂજા નાગપંચમીના દિવસે થશે (પાંચ મુખી નાગ માટે પંચમી), ભક્તો એમને દૂધ પીવડાવશે. એ દિવસે તો ભક્તોના જીવનમાંથી વિષ નીકળી જશે, એટલે કે જે પણ તેમનો તિરસ્કાર કરે છે, તેમની ઈર્ષ્યા કરે છે, એમની અસર તેમના પર નહીં આવે. એટલે આ દિવસે નાગોને (ખાસ કરી પંચમુખી નાગ) ને દૂધ પીવડાવવામાં આવે છે.
શ્રાવણમાસના હર એક દિવસની પુરાણોમાં માહિતી છે. હર એક દિવસનું મહત્વ છે. સૃષ્ટિની રચના, માનવની નિર્મિતી (creation), જેરૂસલેમથી સંસ્કૃતી (civilization) બનવું, કૈલાશનું પિરામીડ (pyramid) બનવું, શક્તિનું સતીરૂપ ધારણ કરવું, શક્તિનું પાર્વતીરૂપ ધારણ કરવું, બધુ શ્રાવણમાસમાં થયું છે. એટલે આ દિવસોને બહુ પવિત્ર માનવામાં આવ્યા છે અને એવું માનવામાં આવ્યુ છે કે આ દિવસોમાં સાધના કરવાથી 100 ગણુ વધારે પૂણ્યનું ફળ મળે છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.