હૃદયની વાત કરતા અચકાઉં છું, લોકોને અભિપ્રાય આપતા રોકાઈ જાવ છું
આ માયાના ખેલને જોતા ઘબરાઈ જાઉં છું, હૈયામાં કરૂણાનો સાગર ફૂટે છે છતાં ત્યાં થંભી જાઉં છું.
જેની પાછળ આપણે ભાગીએ છીએ એ શું છે એ કોઈને સમજાતું નથી. ઘર પરિવાર સંસારના રંગોમાં રંગાઈ જાય છે, પણ શું ત્યાં આરામ છે. આખેર જીવનમાં આપણને શું જોઈએ છીએ? જેના વગર આપણે રહી નથી શકતા, એના વગર પણ જીવી જઈએ છીએ, આપણે ખાલી એકલતાથી ભાગીએ છીએ, એકલતાથી ડરીને આપણે એક બીજાને પ્રેમ કરીએ છીએ, પ્રેમ છે કે પછી આકર્ષણ છે એ ખબર નથી. પ્રેમ કયારેય પણ સુકાતો નથી અને પ્રેમ ક્યારેય પણ બદલાતો નથી, છતાં જન્મથી આપણો પ્રેમ બદલાયા રાખે છે. બાળપણમાં મા-બાપને અનહ્દ પ્રેમ કરીએ છીએ, પણ એવો પ્રેમની માત્રા ટકતી નથી. યુવાનીમાં આનાથી વધારે પ્રેમ આપણા પ્રેમીને કરીએ છીએ ત્યારે મા-બાપ માટેનો પ્રેમ ઠંડો થઈ જાય છે. એક સહજ ભાવો રહે છે પણ મા-બાપ જીવનમાં priority નથી રહેતા. વિવાહિત જીવનમાં જ્યાંરે બાળકો જન્મે છે, ત્યારે એમના માટે પ્રેમ એવો ફૂટે છે કે પ્રેમી- પ્રેમિકાનો પ્રેમ પણ ફીકો પડી જાય છે, ત્યારે બાળક જ જીવનનું ધ્યેય બની જાય છે. બાળક મોટું થતા મા-બાપને વિસરે છે ત્યારે જીવનની એકલતા સાલે છે, હર એક જીવ પછી compromise કરી comfort ને આનંદ માની બેસે છે. પણ શું એ comfort જ મનને શાંત કરશે કે પ્રેમ? અને જે પૂર્ણ પ્રેમની તલાશ છે એ તો ખાલી પૂર્ણતામાં જ મળી શકે છે, પૂર્ણતા તો કોઈ પણ relationship માં નથી હોતી. જ્યાં સુધી પૂર્ણતાનું મિલન ન થાય અને પૂર્ણતાનું મિલન ના શારિરીક, ના માનસિક, ના emotion ના મિલનથી છે પણ પૂર્ણતાનું મિલન તો અંતર પ્રકાશિત જ્ઞાન ને આંનદથી છે તે એકતાનું મિલન છે, બે આત્માનું મિલન છે. એક પૂર્ણ વિરામ છે, ત્યાં ન કોઈ હું અને તું છે, ત્યાં ન કોઈ ઊંચ-કે નીચું છે, ત્યાં ન કોઈ તારું-મારું છે ત્યાં ખાલી એકતા જ છે, સહજ આનંદ છે અને પૂર્ણતાનો ભાસ છે, No relationship can give an experience of completeness till there is oneness. That oneness is not temporary or phasic but is a feeling of everlasting ever joy, ever present bliss. It is not to be mistaken for a feeling of togetherness but is just a feeling of one. Thoughts may match, goals may match, common interests may be there but what every companion lacks is the feeling that they are just souls who are really one. This completeness is not describable but can only be experience. Then nothing can separate each other as there is no other. Even death cannot separate the completeness.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.