આદર-અનાદરથી જે પરે છે, તે પ્રભુને મળે છે;
વૈરાગ્ય જેના મનમાં છે, તે પ્રભુને ગમે છે.
ઉમંગ અને આનંદમાં જે રહે છે, તે રાગદ્વેષથી દૂર છે;
નવા સર્જનમાં જે ખોવાય છે, તે તો પ્રભુનું કાર્ય કરે છે.
મંઝિલની તલાશ જેને છે, તેને તો ગુરુ મળે છે;
ચાલવાની જેની તૈયારી છે, એને નવગુણ મળે છે.
ઉદારતા જેના હૈયામાં વસે છે, એને અમીરતા હૃદયની મળે છે;
આપવાની જેની ભાવના છે, તેને ફકીરિયત મળે છે.
મુલાયમ જેને રહેવું છે, તેને માયાની જાળ ગમે છે;
પ્રભુ સાથે જે એક છે, એને તો પ્રભુની વાણી મળે છે.
- ડો. હીરા